ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગની રોઝકુવા જૂથ પાણી પુરવઠા યોજનામાં છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના સિંહોદ ગામે એક લાખ લીટરની પાણીના ટાંકાનું અન્ન, નાગરિક પુરવઠા, સામાજિક અને ન્યાય અધિકારીતાના રાજ્યમંત્રીશ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગ દ્વારા સિંહોદ ગામે નર્મદાનું પીવાનું પાણી મળી રહેશે જેનાથી ઘણા પરિવારોને લાભ મળશે જે ખૂબ આનંદની વાત છે. સાથે જે સુવિધા આપણે મળી છે તેની જાળવણી પણ કરવા અનુરોધ કર્યો હતો. આ અવસરે સાંસદશ્રી જશુભાઇ રાઠવા, ધારાસભ્યશ્રી જયંતીભાઈ રાઠવા, જિ.પંચાયત સિંચાઇ સમિતિના ચેરમેન નયનાબેન,ગામના સરપંચ અજયભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.